વર્ષ 2036માં યોજાનાર ઓલિમ્પિકની મેજબાની ભારત દેશ કરશે. આ માટેની તૈયારીઓ ગુજરાતના અમદાવાદમાં શરૂ થઈ ગઈ છે.
વર્ષ 2036માં યોજાનાર ઓલિમ્પિકની મેજબાની ભારત દેશ કરશે. આ માટેની તૈયારીઓ ગુજરાતના અમદાવાદમાં શરૂ થઈ ગઈ છે. આ માટે 650 એકર જમીન લેવામાં આવશે. આવી સ્થિતિમાં આ જમીનો પર બનેલા આસારામ બાપુના આશ્રમો પણ હટાવી શકાય છે.
લેવાઇ શકે છે જમીન
એક અંગ્રેજી ન્યુઝ પેપરના અહેવાલ મુજબ બળાત્કારના દોષિત આસારામ બાપુના મોટેરામાં આવેલા ત્રણ આશ્રમોની જમીન 2036 ના ગેમ્સ માટે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ હવે (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ) નજીક સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ, ઓલિમ્પિક વિલેજ અને અન્ય રમતગમત સુવિધાઓ માટે લેવાઇ શકે છે. આ આશ્રમોમાં - આસારામ આશ્રમ, ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળને અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી ધારણા છે.
કાર્યવાહી પૂર્ણ કરશે
અહેવાલમાં જણાવાયું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના નેતૃત્વ હેઠળની ત્રણ સભ્યોની સમિતિએ માસ્ટર પ્લાન મુજબ વહીવટી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે કલેક્ટર ઓફિસ કાયદા મુજબ કાર્યવાહી પૂર્ણ કરશે. જો સદાશિવ પ્રજ્ઞા મંડળ અન્ય જમીન પ્લોટમાં સ્થાનાંતરિત કરવા તૈયાર હોય, તો તેમની હાલની જગ્યા પર તેમના બાંધકામો જાળવી રાખવાની વિનંતી સ્વીકારવામાં આવી શકે છે.