વિરમગામ APMCમાં કપાસના ભાવમાં ખેડૂતો સાથે છેંતરપીંડી કરવામાં આવે છે. કેટલીક જીનીંગ મીલ માલિકો દ્વારા ખેડૂતો સાથે ઠગાઈ કરવામાં આવી રહી છે. જે બાબતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
વિરમગામમાં ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા આજે ખેડૂતોએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે ખેડૂતઓએ જણાવ્યું હતું કે વિરમગામ એપીએમસીમાં કપાસના ભાવમાં ખેડૂતો સાથે છેંતરપીંડી કરવામાં આવે છે. કેટલીક જીનીંગ મીલ માલિકો દ્વારા ખેડૂતો સાથે ઠગાઈ કરવામાં આવી રહી છે. જેમાં કપાસના કાલા ઉતાર્યા બાદ 500 ગ્રામ કાલાના સેમ્પલમાંથી ભાવ નક્કી કરવામાં આવે છે. વેપારીઓ કપાસના જથ્થામાંથી ખરાબ કપાસના કાલામાંથી સેમ્પલ ઉઠાવે છે. ત્યારે વેપારીઓની આ મનમાની સામે ખેડૂતો લાચાર બન્યા છે.