Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Thursday, 17 April 2025

કાયદાનું રક્ષણ છતાં 1 વર્ષમાં દલિત સમાજની મહિલા અને પુરુષો પર જાતીય દુષ્કર્મ અને હત્યાની 187 ફરિયાદ

કાયદાનું રક્ષણ છતાં 1 વર્ષમાં દલિત સમાજની મહિલા અને પુરુષો પર જાતીય દુષ્કર્મ અને હત્યાની 187 ફરિયાદ
કાયદાનું રક્ષણ છતાં એક વર્ષમાં દલિત સમાજની મહિલા અને પુરુષો પર જાતીય દુષ્કર્મ અને હત્યાની 187 

મહેસાણા જિલ્લાના બાલીયાસણ ગામના કૌશિક પરમાર દ્વારા વર્ષ 2024 માં દલિત સમાજના વ્યક્તિઓ પર હત્યા અને જાતીય દુષ્કર્મના કિસ્સામાં કેટલા ગુના નોંધવામાં આવ્યાની જાહેર માહિતી અધિકાર અંતર્ગત માહિતી પ્રાપ્ત થઈ હતી. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં હત્યાના 31 અને દુષ્કર્મના 156 જેટલા કિસ્સાઓ પોલીસ ચોપડે વર્ષ 2024માં નોંધાયા છે. ત્યારે વર્ષ 2016 માં ઉના કાંડના પીડીત સરવૈયા પરિવારે આજે પણ પોલીસ રક્ષણમાં રહેવું પડે છે અને સરકાર દ્વારા જે સહાય અને રોજગારીની વાત કરવામાં આવી હતી તે 9 વર્ષ બાદ પણ જેમની તેમ જોવા મળે છે. જેના ભારે રોષ સાથે તેમણે વસવસો વ્યક્ત કર્યો હતો.

મહેસાણા જિલ્લાના બાલિયાસણ ગામના કૌશિક પરમાર દ્વારા રાજ્યના પોલીસવડા પાસેથી દલિત સમાજના વ્યક્તિઓની હત્યા અને મહિલાઓ પર જાતીય દુરાચારના કિસ્સાની માહિતી માગવામાં આવી હતી. જેમાં જાન્યુઆરી 2024 થી લઈને 31 ડિસેમ્બર 2024 સુધીમાં સમગ્ર રાજ્યમાં દલિત સમાજના 31 લોકોની હત્યા અને દલિત સમાજની મહિલાઓ પર 156 જેટલી દુષ્કર્મની ફરિયાદ નોંધાવા પામી છે. હત્યા અને દુષ્કર્મની આ ઘટનાઓ આજે સુરક્ષિત ગુજરાતમાં દલિતો માટે સૌથી મોટી મુશ્કેલી બની રહી છે.

ગુજરાતના કેટલાક વિસ્તારમાં દલિતો આજે પણ ઉત્પડિત

ગુજરાતમાં આજે પણ દલિત સમાજ જાતીય દુરાચાર અને શરીર સંબંધી અન્ય ગુનાઓનો ભોગ બની રહ્યો છે. તે પ્રકારની વિગતો મહેસાણા જિલ્લાના બાલિયાસણ ગામના કૌશિક પરમાર દ્વારા રાજ્યના પોલીસવડાને જાહેર માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત માહિતી માગતા તેમાં દલિત સમાજના વ્યક્તિઓ પર વર્ષ 2024 માં હત્યા અને જાતિ દુષ્કર્મના કેટલાક કિસ્સાઓ નોંધાયા છે, તેવી વિગતો મળી હતી. જેમાં સમગ્ર રાજ્યમાં હત્યાના 31 અને દુષ્કર્મના 156 જેટલા કિસ્સાઓમાં ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

પાછલા એક વર્ષમાં 187 ઘટનાઓ બની

વર્ષ 2016માં ઉના તાલુકાના સમઢીયાળા ગામમાં ચામડાના ધંધા સાથે સંકળાયેલા દલિત સમાજના કેટલાક યુવાનો અને મોભીઓને જે રીતે ઢોર મારવામાં આવ્યો હતો. તેના પીડિત સભ્યોએ દલિત સમાજ પર થઈ રહેલા જાતીય અત્યાચાર અને દુરાચારને લઈને ભારે ચિંતા વ્યક્ત કરી છે અને વર્તમાન સમયમાં પણ દલિત સમાજના લોકો પર જાતીય દુરાચારનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તેની સામે ચિંતા ની સાથે રોષ પણ વ્યક્ત કર્યો છે.

ઉના કાંડ આજે પણ સમગ્ર દેશમાં દલિત અત્યાચાર માટે કુખ્યાત

પીડિત સરવૈયા પરિવારે આજે પણ ઘટનાના દસ વર્ષ બાદ પણ પોલીસ રક્ષણ હેઠળ જીવવું પડી રહ્યું છે. તેમ છતાં દલિત સમાજના લોકો પર અત્યાચાર અટકતા નથી. સરકાર અને કાયદો રક્ષણ પૂરું પાડે છે, પરંતુ આ પ્રકારની ઘટનાઓ નવી બનતી રોકી શકાતી નથી. સમઢીયાળા કાંડના તમામ 43 આરોપીઓ આજે જામીન પર મુક્ત છે. ત્યારબાદ પણ સરવૈયા પરિવારને કેટલાક લોકો દ્વારા ધમકી અને હુમલો કરવામાં આવ્યો હતો જેની ત્રણ ફરિયાદો આજે પણ ન્યાયતંત્રમાં વાચારાધિન છે. સરવૈયા પરિવાર માને છે કે શાંત અને સલામત ગુજરાત બનાવવા માટે રાજ્યની સરકાર ડોક્ટર આંબેડકર અને બુદ્ધના સિદ્ધાંતો પર ચાલે તો ભાઈચારાનું વાતાવરણ ઊભું થઈ શકે અને દલિત સમાજના લોકો પર થઈ રહેલા જાતીય દુરાચારને અટકાવવામાં મદદ મળી શકે છે.

ઉના કાંડના ફરિયાદીઓ આજે પણ પોલીસ રક્ષણ નીચે

બાલુભાઈ સરવૈયા પણ આ જ પ્રકારે વર્ષ 2016 થી સતત ભય નીચે જીવી રહ્યા છે. ગાયના ચામડાને લઈને જે રીતે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી પીડિત પરિવાર પોલીસ રક્ષણ નીચે જીવી રહ્યો છે. સરવૈયા પરિવારે ચામડાનો ધંધો બંધ કરી દીધો છે અને દલિત સમાજની ઘણી વ્યક્તિ ચામડાના ધંધા સાથે આજે જોડાયેલો નથી જેથી મોટાભાગના લોકો પરંપરાગત રોજગારીથી દૂર થયા છે. જ્યારે 2016માં ઘટના બની ત્યારે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ 15 દિવસમાં ન્યાય આપવાની વાત કરી હતી પરંતુ આજે ઘટનાને નવ વર્ષ થઈ ગયા. જે તે સમયના મુખ્યમંત્રીએ આપેલી 15 દિવસની મહેતલ હજુ સુધી પૂરી થઈ નથી. જેથી પણ તેઓ ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે.