સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા જીવન ભરવાડે જે સ્થિતિ ઉભી કરી હતી, તે જાણીને તંત્ર પણ ચોંકી ગયું હતું. જીવન ભરવાડે બેફામ રીતે સરકારી જમીન પર 149 મકાન અને 6 દુકાનો ઊભા કરી દીધી હતો. જેનાથી જીવન ભરવાડે દર મહિને હજારો રૂપિયાની આવક ભાડા રૂપે કમાતો હતો. દરેક મકાનમાંથી રૂ. 2000થી 3000 સુધી ભાડું વસૂલતુ, જ્યારે દુકાનોથી રૂ. 5000થી 6000 સુધીની આવક થતી. ધરપકડથી દૂર રહેલો જીવન ભરવાડ સરકારી જમીનનો માલિક બની ગયો હતો.
આટલા બધા મકાન અને દુકાન રાતોરાત તો નહી બની હોય ને આની પાછળ કોણ કોણ જવાબદાર છે ?
વર્ષોથી ઉભેલી ગેરકાયદેસર વસાહતનો અંત પોલીસે તપાસ કરતાં બહાર આવ્યું કે, જીવન ભરવાડ સામે વર્ષ 2020થી 2025 દરમિયાન મારામારીના ચાર ગુનાઓ નોંધાયેલા છે. 2022માં પાસા હેઠળ તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ હતી. છતાં તેણે દહેશતના આધારે આખી વસાહત ઊભી કરી હતી. ડીજીપીના આદેશ બાદ સચિન પોલીસ અને મ્યુનિસિપલ તંત્રએ તમામ માળખાં ખાલી કરાવી એક પછી એક મકાન અને દુકાનો તોડી પાડી છે. આખરે સરકારી જમીન પર વર્ષોથી ઉભેલી ગેરકાયદેસર વસાહતનો અંત આવ્યો હતો
2022માં પાસા હેઠળ કાર્યવાહી થઈ હતી સચિન જી.આઇ.ડી.સી.ના પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપ ઝાલાએ જણાવ્યું હતું કે, જીવન ભરવાડ વિરુદ્ધ સચિન જી.આઇ.ડી.સી. પોલીસ મથકમાં 2020થી લઈને 2025 સુધીમાં ચાર મારામારીના ગુનાઓ દાખલ થયા છે. 2022માં તેની સામે પાસા હેઠળની પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ડીજીપીના આદેશ બાદ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરનાર માથાભારે ઇસમો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જીવન ભરવાડે પણ 149 જેટલા ઓરડા અને છ દુકાનો બાંધી હતી, જેને આજે તોડી પાડવામાં આવી છે.
સચિન રેલવે સ્ટેશન નજીક જીવન ભરવાડની દહેશત આમજ ચરમસીમાએ હતી, પરંતુ હવે કાયદાનું શસ્ત્ર ચાલ્યું છે. તંત્રએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે, ગેરકાયદેસર બાંધકામ અને અસામાજિક તત્વો સામે હવે સોફ્ટ કાયમ નહીં રહે.