આજે બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાને કારણે 21 શ્રમિકોના મોત (Deesa Firework Factory blast) થયા છે, હજુ રેસ્ક્યુ ઓપરેશન ચલવવામાં આવી રહ્યું છે. અહેવાલ મુજબ આ ફટાકડાની ફેક્ટરી ગેરકાયદે ચાલી રહી હતી, ફેક્ટરી માલિકો પાસે ફટાકડા બનાવવાનું લાયસન્સ ન હતું. હાલ પોલીસની ટીમ ફેક્ટરીના માલિકોને શોધી રહી છે.
મુખ્ય પ્રધાન શ્રી નુ ટ્વિટ
ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ થવાથી આગ લાગવાના લીધે અને સ્લેબ ધરાશાયી થવાના લીધે શ્રમિકોના મૃત્યુની ઘટના હૃદયદ્રાવક છે. દુ:ખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના સ્વજનોની સાથે છે.
આ દુર્ઘટનામાં રાહત-બચાવ અને સારવારની કામગીરીને લઈને હું વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું. ઈજાગ્રસ્તોને ઝડપથી યોગ્ય સારવાર મળે તે સુનિશ્ચિત કરવાની સૂચના તંત્રને આપી છે. રાજ્ય સરકાર મૃતકોના પરિજનને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦,૦૦૦ ની સહાય કરશે.
ઈશ્વર મૃતક શ્રમિકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તોને સત્વરે સાજા કરે તેવી પ્રાર્થના કરું છું