Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Friday, 23 May 2025

“માનતા પુરી ન થાય ત્યાં સુધી ડબ્બો ન ખોલતા”:13.62 લાખના દાગીના સેરવી છેતરપિંડી કરનાર અમદાવાદના ભુવાને માંડલ પોલીસે દબોચ્યો

“માનતા પુરી ન થાય ત્યાં સુધી ડબ્બો ન ખોલતા”:13.62 લાખના દાગીના સેરવી છેતરપિંડી કરનાર અમદાવાદના ભુવાને માંડલ પોલીસે દબોચ્યો
બની બેઠેલા ભુવાએ પરિવારના 13.62 લાખના દાગીના હડપી લીધા; લાલ કપડામાં પોટલી બંધાવી, ખોલી તો નુકસાન થશે કહી ડરાવતો

અંધશ્રદ્ધામાં ડુબેલા એક પરિવારે 13.62 લાખથી વધુના સોનાના દાગીના ગુમાવી દીધા હોવાનો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. 'હું અઘોરી ભુવો છું, આ મેલીવિદ્યા દુર કરવા માટે વિધિ કરવી પડશે' તેમ કહીને સોનાના તમામ દાગીના એક લાલ કલરના કપડામાં બંધાવીને ઘરની વિવિધ જગ્યાઓમાં મુકાવી દીધા હતા. બાદમાં પોટલું ખોલ્યું તો મોટુ નુકસાન આવશે તેમ કહીને ડરાવતો હતો. જે બાદ ભોગ બનનાર પરિવારને ખબર પડે નહીં તે રીતે દાગીના ચોરી લેતો હતો. માંડલ પોલીસે ફરિયાદના આધારે ભુવાજી બનીને પરિવારને છેરતરનાર અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા આરોપી ચંદ્રકાંત કાંતિભાઈ પંચાલની ધરપકડ કરી છે.

ભુવાજી વિરૂદ્ધ 13.62 લાખની છેતરપિંડીની ફરિયાદ ઘાટલોડીયા વિસ્તારમાં આવેલા કાન્તીપાર્ક સોસાયટીમાં રહેતા 54 વર્ષિય હસમુખ પટેલે ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ચંદ્રકાંત પંચાલ ઉર્ફે બાપજી નામના બની બેઠેલા ભુવાજી વિરૂદ્ધ 13.62 લાખની છેતરપિંડીની ફરિયાદ કરી છે. હસમુખ પટેલ એકાઉન્ટન્ટની નોકરી કરે છે. પત્ની લત્તાબેન, દીકરો મીતેષ, પુત્રવધુ અંકિતા સાથે સંયુક્ત પરિવારમાં રહે છે, અમદાવાદથી થોડે દુર આવેલા માંડલ તાલુકાના વિંઝુવાડા ગામે હસમુખ પટેલની સંબંધી હેતલ પટેલ રહે છે. જે અવારનવાર ગોતા વંદેમાતરમ્ ખાતે રહેતા ભુવાજી ચંદ્રકાંત પંચાલના ઘરે આવતા હતા. છેલ્લા એક વર્ષથી હેતલને બાધા હોવાથી તે ભુવાજી ચંદ્રકાંતના ઘરે દર્શન કરવા માટે આવી હતી. હેતલ પહેલા હસમુખ પટેલના ઘરે આવતી હતી અને બાદમાં મીતેષ સાથે ભુવાજીના ઘરે જતી હતી. મીતેષ હેતલ સાથે જતો હોવાથી તે ભુવાજી ચંદ્રકાંતને સારી રીતે ઓળખતો હતો.

અંકિતાને હોસ્પિટલના બદલે ભુવાજી ચંદ્રકાંત પંચાલ પાસે લઇ ગયા 4 માર્ચ 2025માં પુત્રવધુ અંકિતાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને પેટમાં પણ અસહ્ય દુખાવો થઇ રહ્યો હતો. જેથી હસમુખ પટેલ ઓફિસથી વહેલા આવી ગયા હતા. હસમુખ પટેલ અને તેમના પરિવારને કોઇ દૈવીક કારણ હોવાની શંકા રાખીને અંકિતાને હોસ્પિટલ લઇ જવાના બદલે ભુવાજી ચંદ્રકાંત પંચાલ પાસે લઇ ગયા હતા. ચંદ્રકાંતે મોકાનો ફાયદો ઉઠાવીને હસમુખ પટેલને કહ્યું કે, હું આવતી કાલે તમારા ઘરે આવીશ અને વિધિ કરવા માટે સામાન લાવવાનું પણ જણાવ્યું હતું.

પોલીસે ચંદ્રકાંત પંચાલની ધરપકડ કરી માંડલ પોલીસે ફરિયાદ નોંધાયા બાદ આધારે આરોપી ચંદ્રકાંત પંચાલની ધરપકડ કરી લીધી છે. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે આરોપી વિરુદ્ધ સોલા હાઈકોર્ટ અને ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયેલા છે. આ ગુનાઓમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો અને ગુજરાત માનવ બલિદાન તથા કાળા જાદુ અટકાવવા બાબતના કાયદા હેઠળ કેસ નોંધાયા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ ઠગાઈથી મેળવેલા દાગીના મુથુટ ફાઈનાન્સ ગોતા અને ચાંદલોડીયામાં આવેલી અંબિકા જ્વેલર્સમાં ગીરવે મૂક્યા હતા. પોલીસે બંને સ્થળેથી દાગીના રિકવર કર્યા છે. આ કેસની તપાસ માંડલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. દેસાઈ કરી રહ્યા છે.