Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Sunday, 4 May 2025

દિલ્હીથી તેલ અવીવ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ને અબુ ધાબીમાં આશરો મળ્યો મિસાઈલ હુમલા પછી લીધો નિર્ણય

દિલ્હીથી તેલ અવીવ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ને અબુ ધાબીમાં આશરો મળ્યો મિસાઈલ હુમલા પછી લીધો નિર્ણય
દિલ્હીથી તેલ અવીવ જઈ રહેલી એર ઈન્ડિયાના AI139 વિમાનને કાલે સવારે બેન ગુરિયન એરપોર્ટ પર ઘટેલી એક ઘટનાને ગંભીરતાથી લેતા અબુ ધાબી ડાયવર્ટ કરાવી આશરો માગ્યો હતો 

ફ્લાઇટ અબુ ધાબીમાં ઉતારવામાં આવી હતી, જો કે આગામી ટૂંક સમયમાં દિલ્હી પરત ફરશે. એર ઈન્ડિયાએ પોતાના મુસાફરો અને કર્મચારીઓની સુરક્ષાને ધ્યાને લેતા તેલ અવીવ જતી અને આવતી તમામ ફ્લાઈટોને આગામી 6 મેં 2025 સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ સ્ટાફ મુસાફરોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યો છે અને તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.