Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Wednesday, 7 May 2025

ચંડોળાના વિસ્થાપિતોને લઈ ગણેશનગરમાં તણાવ, સ્થાનિકોએ કહ્યું, "અમે પનાહ આપી નથી,

ચંડોળાના વિસ્થાપિતોને લઈ ગણેશનગરમાં તણાવ, સ્થાનિકોએ કહ્યું, "અમે પનાહ આપી નથી,
ચંડોળા તળાવમાં ડિમોલેશન બાદ ત્યાંનાં રહીશો અન્યત્ર વસવાટ કરવા માટે ફરી રહ્યા છે. શું તેઓએ ગણેશનગરમાં વસવાટ કર્યો છે?

ગત અઠવાડિયે શહેરના ચંડોળા તળાવ અને તેના આસપાસના વિસ્તારોમાં મેગા ડિમોલેશન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ચંડોળા તળાવમાં રહેતા લોકો બેઘર થતાં તેઓ વિસ્થાપન માટે ઘર શોધતા શોધતા શહેરના ગણેશનગર વિસ્તારમાં પહોંચ્યા હતા. પરંતુ ગણેશનગરના સ્થાનિકોએ આ લોકોને ભગાડી દીધા હતા.

ગણેશનગરના સ્થાનિક લોકોમાં ભય છે કે ચંડોળા તળાવથી આવેલા લોકો અહીંયા રહેશે તો તેમના ઝૂંપડા પર તોડી નાખવામાં આવશે. 

અમદાવાદના ચંડોળા તળાવમાં રહેતા બાંગ્લાદેશી સહિતના લોકોના ઝુંપડાઓ અને મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે મેગા ડિમોલેશન કરીને તોડવામાં આવ્યા હતા. જે લોકોના મકાનો આ ડીમ્યુલેશન દરમિયાન તૂટ્યા છે અને જે લોકો ત્યાંથી વિસ્થાપિત થયા છે તેવા લોકો અમદાવાદ શહેરના પીપળજ રોડ પર આવેલા ગણેશનગરમાં રહેવા આવ્યા હોવાની માહિતી મળી હતી.
આ મામલે ગણેશ નગરના સ્થાનિકોએ જણાવ્યું હતું કે, "2011માં સાબરમતી રિવરફ્રન્ટના વિસ્થાપિતો માટે ગણેશ નગરમાં કોર્પોરેશનને જગ્યા આપી હતી. અહીંયા 4000 થી વધારે લોકો રહે છે, પરંતુ જ્યારે ચંડોળાના ડિમોલેશન થયો ત્યારબાદ ચાર-પાંચ બંગાળી અહીંયા આવી ગયા હતા. જેમને તરત જ અહીંના સ્થાનિક લોકોએ ભગાડી દીધા હતા. હવે અહીંયા એક પણ બંગાળી કે ચંડોળાના વિસ્થાપિત લોકો નથી. અમે એમને ગણેશ નગરમાં ઘૂસવા પણ દેતા નથી અહીંયા પોલીસની ગાડીઓ આવે છે અને ચેક કરીને પણ જાય છે."

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, "અમે જાણીએ છીએ છે કે જો ચંડોળાના વિસ્થાપિત લોકો અહીંયા આવી જશે તો અમારા મકાન પણ તૂટી જશે. એટલે અમે કોઈને ઘૂસવા દેતા નથી. અહીંયા જે લોકો રહે છે એ વર્ષોથી સાબરમતીના વિસ્થાપિત લોકો રહે છે. ખોટી ખોટી અફવા ઉડી રહી છે કે ચંડોળાના લોકો અહીંયા ઘૂસી ગયા છે, પરંતુ અહીંયા એક પણ ચંડોળાના લોકો નથી."