Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Saturday, 10 May 2025

હરિયાણાનું ગામ, જ્યાં નળમાંથી પાણી ભરવા અંગે સવર્ણ-દલિતો વચ્ચે ઘર્ષણ થયું, મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો

હરિયાણાનું ગામ, જ્યાં નળમાંથી પાણી ભરવા અંગે સવર્ણ-દલિતો વચ્ચે ઘર્ષણ થયું, મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો
અહીં જમીનની નીચે પાણી ખારું છે અને સરકારી સપ્લાઈ પંદર દિવસમાં માત્ર એક વખત જ થાય છે. જે પાણી ખરીદી શકે છે, તે ખરીદી રહ્યા છે. જે નથી ખરીદી શકતા, તે પાણી ભરવા માટે મજબૂર છે.

દલિતોના આ મહોલ્લામાં જેની સાથે પણ વાત કરો, પ્રતિબંધ શબ્દ વારંવાર સંભળાશે. વર્ષ 2017માં જ્યારે ઝઘડો થયો ત્યારે ગામમાં દલિતોનો બહિષ્કાર કરી દેવાયો હતો. આ બહિષ્કારને આ લોકો બંદી કહે છે. જોકે સવર્ણ સમુદાયના લોકોનું કહેવું છે કે હવે ગામમાં આવી સ્થિતિ નથી અને દરેક એકબીજાને ત્યાં અવરજવર કરે છે, કોઈના પર કોઈપણ પ્રકારની રોકટોક નથી. બધાના જવાબ અલગ અલગ છે.

ઓમપ્રકાશ ગામના બસ સ્ટેન્ડ પર ફળની રેકડી લગાવે છે. તે કહે છે, પહેલાં આખા ગામના લોકો મારી પાસેથી સામાન ખરીદતા હતા, હવે માત્ર દલિત સમાજ અથવા રસ્તા પર અવજજવર કરતા લોકો જ ખરીદે છે. બીજી જાતિનું કોઈ મારી દુકાન પર આવતું નથી. તે કહે છે, તેની પત્ની કોઈ બીજા ખેતરમાં ચારો કે ઘાસ કાપવા જાય છે તો તેને ગાળો બોલે છે. રસ્તા પર જે ઘાસ હતું તેમાં પણ ઝેરી દવા છાંટવામાં આવી હતી.
અહીં પોતાના ઘરની બહાર દલિત વૃદ્ધ ઉદાસ છે. તેમના ત્રણ દીકરા હતા, ત્રણેયનાં મોત શંકાસ્પદ હાલતમાં થઈ ગયાં છે. તેમનો સૌથી મોટો દીકરો 19 વર્ષ હશે, જ્યારે બે દાયકા પહેલાં ગામના એક ખેતરમાં તેની લાશ મળી હતી. અજય કુમારે જણાવ્યું, તેની હત્યા કરવામાં આવી હતી પણ પરિવાર પોલીસ સ્ટેશન પણ નહોતો જઈ શકતો. થોડાંક વર્ષ પછી વધુ એક દીકરાએ આત્મહત્યા કરી લીધી હતી. હાલ બે મહિના પહેલાં ત્રીજા દીકરાની લાશ પણ શંકાસ્પદ હાલતમાં ખેતરમાં મળી હતી. તેની હત્યાનો આરોપમાં જાટ સમુદાયના બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ભાટલાના દલિતોનો આરોપ છે કે ઊંચી જાતિના લોકોના દબાણમાં વાળંદ તેમના વાળ પણ નથી કાપતા. વાળંદ સુભાષની ગામમાં બે દુકાન છે. દલિત સમાજના લોકોના વાળ કાપવાની ના પાડવાના આરોપમાં તે સવાત્રણ મહિના જેલની સજા ભોગવીને આવ્યા છે. તેઓ કહે છે કે ત્યારે પ્રતિબંધ હતો તો દબાણમાં ના પાડી દીધી હતી. હવે પસ્તાવો થાય કે ના નહોતી પાડવાની. હવે બધાના વાળા કપાઈ રહ્યા છે. ગામના જ એક કરિયાણાના દુકાનદાર પણ દલિતોનો સામાન વેચવાના આરોપમાં જેલમાં ગયા હતા. હવે તેમની દુકાન પર પણ બધા સામાન ખરીદી રહ્યા છે.