Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Monday, 19 May 2025

CJIના પ્રોટોકોલનું પાલન ન થતા ઉપરાષ્ટ્રપતિ ચિંતિત, કહ્યું, ‘મને પણ તકલીફ પડેલી છે, PM-રાષ્ટ્રપતિની તસવીરો આવે છે, પણ મારી નહીં...’

CJIના પ્રોટોકોલનું પાલન ન થતા ઉપરાષ્ટ્રપતિ ચિંતિત, કહ્યું, ‘મને પણ તકલીફ પડેલી છે, PM-રાષ્ટ્રપતિની તસવીરો આવે છે, પણ મારી નહીં...’
દેશના મુખ્ય ન્યાયાધીશ બી.આર.ગવઈની મહારાષ્ટ્રની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન પ્રોટોકોલનું પાલન થયું નથી, તેમના સ્વાગત માટે મુખ્ય સચિવ, ડીજીપી અને મુંબઈ પોલીસ કમિશનર જેવા અધિકારીઓ પહોંચ્યા નથી, જેના કારણે તેઓએ ચિંતા વ્યક્ત કરી છે. બીજીતરફ આ મામલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ચિંતા વ્યક્ત કરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, મેં પણ આવી તકલીફ ભોગવી છે. ઘણીવાર તમે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની તસવીરો જુઓ છો, પરંતુ ઉપરાષ્ટ્રપતિની ફોટો જોતા નથી.
આપણે ભૂલવું ન જોઈએ કે પ્રોટોકોલ ફન્ડામેન્ટલ છે’

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે (Vice President Jagdeep Dhankhar) કહ્યું કે, ‘મને દેશના મુખ્ય ન્યાયાધીશના પ્રોટોકોલ મામલે માહિતી મળી છે, જે ખૂબ જ ચિંતાજનક છે. સીજેઆઈ આ મામલો સામે લાવ્યા છે. તેઓ તેમના માટે નહીં, પરંતુ જે પદ પર છે, તે માટે આ મુદ્દો સામે લાવ્યા છે. આપણે ભૂલવું ન જોઈએ કે પ્રોટોકોલ ફન્ડામેન્ટલ છે. ઘણીવાર મને પણ આવી તકલીફો થઈ છે. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિની તસવીરો આવે છે, પરંતુ મારી નહીં. સીજેઆઈનો આ વ્યક્તિગત મુદ્દો નથી, પરંતુ દેશના મુખ્ય ન્યાયાધીશની પોઝીશનનો છે.’

આપણે તેમનું રક્ષણ કરવું જોઈએ : ધનખડ

તેમણે વધુમાં કહ્યું કે, ‘ન્યાયતંત્રનું રક્ષણ કરવાની જરૂર છે. આપણે ખાતરી કરવી પડશે કે આપણા ન્યાયાધીશો નિર્ભયતાથી નિર્ણયો લેવાને કારણે નબળા ન પડે. તેઓ સૌથી મુશ્કેલ કામ કરે છે. તેઓ અનેક સત્તાઓનો સામનો કરે છે. તેઓ એવા લોકો સાથે વ્યવહાર કરે છે જેમની પાસે ઘણી આર્થિક શક્તિ અને સંસ્થાકીય સત્તા છે, તેથી આપણે તેમનું રક્ષણ કરવું જોઈએ. આપણે આપણી સિસ્ટમનો વિકાસ કરવો જોઈએ.

અધિકારીઓ ગેરહાજર રહેતા CJI નારાજ

વાસ્તવમાં સુપ્રીમ કોર્ટના નવનિયુક્ત મુખ્ય ન્યાયાધીશ ગવઈના સન્માન કરવા માટે મહારાષ્ટ્ર-ગોવા બાર કાઉન્સિલ દ્વારા રવિવારે (18 મે) એક સમારોહમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મહારાષ્ટ્રના વરિષ્ઠ અધિકારીઓ ગેરહાજર રહેતા સીજેઆઈએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ‘લોકશાહીના ત્રણ સ્તંભો ન્યાયતંત્ર, વિધાનસભા અને કારોબારી સમાન છે. બંધારણના દરેક ભાગમાં બીજા પ્રત્યે આદર હોવો જોઈએ. જો દેશના મુખ્ય ન્યાયાધીશ પહેલી વાર મહારાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા હોય અને રાજ્યના મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક અને મુંબઈ પોલીસ કમિશનરને ત્યાં હાજર રહેવાનું યોગ્ય ન લાગે, તો તેમણે તેના પર વિચાર કરવાની જરૂર છે. પ્રોટોકોલમાં કંઈ નવું નથી. આ એક બંધારણીય સંસ્થાથી બીજી બંધારણીય સંસ્થા પ્રત્યે આદરનો વિષય છે.’