Saturday, 7 June 2025

 'મને કોઇ જ શરમ નથી, ભલે ને ત્રણ-ચાર વાર....', 47 વર્ષની એક્ટ્રેસના નિવેદનથી ઇન્ડસ્ટ્રીમાં હડકંપ

 'મને કોઇ જ શરમ નથી, ભલે ને ત્રણ-ચાર વાર....', 47 વર્ષની એક્ટ્રેસના નિવેદનથી ઇન્ડસ્ટ્રીમાં હડકંપ
દીપશિખા નાગપાલે તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન પોતાના બે છૂટાછેડા વિશે વાત કરી હતી. તેણીએ એમ પણ કહ્યું હતું કે તેને ત્રીજા કે ચોથા લગ્ન કરવામાં કોઈ નુકસાન લાગતું નથી.

દીપશિખા નાગપાલ 'બાદશાહ' અને 'સિર્ફ તુમ' જેવી ફિલ્મોથી ચર્ચામાં આવી હતી. જોકે તે બૉલીવુડમાં ઓળખાણ ન બનાવી શકી, તેને માત્ર નાની સ્ક્રીન પર જ કામ કર્યું છે. આ બધા વચ્ચે અભિનેત્રીએ તાજેતરમાં જ પોતાના બે અસફળ  લગ્ન વિશે વાત કરી અને એમ પણ કહ્યું કે જો બધુ બરાબર રહ્યું તો ફરીથી નવો સંબંધ પણ બનાવી શકું છું. દીપશિખાએ એમ પણ કહ્યું કે તેના એક્સ પાર્ટનરને દોષી કહેવા માટે કશું નથી, પરંતુ આ અસફળ લગ્ન પોતાના જીવનમા ખરાબ સમયને જવાબદાર ઠેરવું છે.

હું ત્રણ નહિ ચાર વખત લગ્ન કરી શકું છું..

એક ઇન્ટરવ્યુ દરમિયાન, દીપશિખાને પૂછવામાં આવ્યું કે શું તે ફરીથી લગ્ન કરવાનું વિચારશે. આના પર, અભિનેત્રીએ કહ્યું કે એક કરતા વધુ લગ્ન કરવામાં કંઈ ખોટું નથી, કારણ કે તે પહેલાથી જ બે છૂટાછેડામાંથી પસાર થઈ ચૂકી છે. દીપશિખાએ કહ્યું, "હું ત્રણ વખત, ચાર વખત લગ્ન કરી શકું છું - મને તેમાં કોઈ શરમ નથી. ઓછામાં ઓછું હું મારું જીવન જીવી રહી છું. જ્યારે હું બે લોકોને જોઉં છું જે મેળ ખાતા નથી..."