સુરતના નાના બહુચરાજી મંદિરના મહંતે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મહંતના આપઘાતના સમાચાર મળતાં ભાવિકોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.
સુરતના કતારગામ સ્થિત વેડ રોડ વિસ્તારમાં આવેલા નાના બહુચરાજી મંદિરમાં છેલ્લા 25 વર્ષથી સેવા પૂજા કરતા શંભુ મહારાજે મંદિર પરિસરમાં ગળેફાંસો ખાઈને આપધાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. મહંતના આપઘાતના સમાચાર મળતાં જ ભાવિકોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.
45 વર્ષીય શંભુ મહારાજના અપઘાતની જાણ થતા જ ચોક બજાર પોલીસની ટીમ મંદિર ખાતે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખેસડવાની તજવીજ હાથ ધરી હતી. આપને જણાવી દઈએ કે, શંભુ મહારાજ મૂળ નેપાળના વતની હતા અને છેલ્લા 25 વર્ષથી તેઓ મંદિરમાં અખંડ સેવા કરતા હતા.
હાલ પોલીસે શંભુ મહારાજના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મહંતના આપઘાત કરવા પાછળનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.