ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાખેડૂઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા તમામ માછીમારોને રવિવાર (17 મે)થી આવનારી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આ છે. આ સિવાય જે દરિયાખેડૂઓ નીકળી ગયા છે, તેમને પણ તાત્કાલિક ધોરણે પરત બોલાવવાની સૂચના આપવામાં આવી છે.
નવા આદેશ સુધી દરિયો ન ખેડવા સૂચના
રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડી સૂચના આપી છે કે, ખરાબ હવામાન તથા ભારે પવન ફૂંકાવાનો હોવાથી દરિયામા માછીમારી કરવા ગયેલી તમામ બોટ્સને તાત્કાલિક અસરથી પરત બોલાવી લેવી તેમજ અન્ય સૂચના ન મળે ત્યાં સુધી માછીમારોએ દરિયો ખેડવા ન જવું. આ સિવાય માછીમારી બોટ્સને ટોકન ઇસ્યુ ન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ અંગે માછીમારોએ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની રહેશે. આ સિવાય માછીમારોના જાન-માલને નુકસાન ન પહોંચે તે માટે તાત્કાલિક ધોરણે સાવચેતીના પગલા લેવા જિલ્લા અધિકારીઓને ચુસ્ત અમલવારીની સૂચના આપવામાં આવી છે. આ સિવાય બોટ માલિકોને પણ બોટને સુરક્ષિત જગ્યાએ લગાવવા માટે જાણકારી આપવામાં આવી છે.