Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Sunday, 1 June 2025

પહલગામ હુમલાના છ આતંકી ભાજપમાં જોડાઈ શકે છે, એટલે જ તો હાલ પકડાતા નથી: સંજય રાઉત

પહલગામ હુમલાના છ આતંકી ભાજપમાં જોડાઈ શકે છે, એટલે જ તો હાલ પકડાતા નથી: સંજય રાઉત
પહલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓ મુદ્દે શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે મોટો દાવો કરતાં ખળભળાટ મચ્યો છે. તેમણે કહ્યું કે, એક દિવસ આ છ આતંકવાદી ભાજપમાં જોડાઈ શકે છે, તેથી તેઓ પકડમાં આવી રહ્યા નથી. 22 એપ્રિલના રોજ પહલગામ આતંકવાદી હુમલામાં 26 પર્યટકોના મોત થયા હતાં. ઘટનાને 38 દિવસ થયા હોવા છતાં આ હુમલામાં સામેલ છ આતંકવાદી પકડાયા નથી.

આવડો મોટો પબ્લિક પ્લેસ છતા એક પણ સિક્યોરિટી કેમ નહી ?

શિવસેના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે, પહલગામ હુમલાના છ આતંકવાદીઓની ધરપકડ એટલા માટે થઈ રહી નથી, કારણકે, તેઓ એક દિવસ ભાજપ કાર્યાલયની એક પ્રેસ નોટમાં મળી શકે છે. જેમાં જાહેરાત કરવામાં આવશે કે, આ છ લોકો ભાજપમાં સામેલ થયા છે. ઉલ્લેખનીય છે કે, પહલગામ આતંકવાદી હુમલાની જવાબદારી પાકિસ્તાનમાં સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકી જૂથ ટીઆરએફએ લીધી હતી. તેમણે પર્યટકોને ગોળીથી વીંધી નાખ્યા હતાં. 

જમ્મુ-કાશ્મીરના તમામ વિસ્તારોમાં સેના અને સુરક્ષા દળો દ્વારા મોટાપાયે સર્ચ ઓપરેશન થઈ રહ્યું હોવા છતાં પહલગામ હુમલાના હુમલાખોરોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.