Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Thursday, 4 September 2025

મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પ્રજાનું અસ્વાગત, દૂર-દૂરથી આવતા લોકોને ધક્કા અને નિરાશા

મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પ્રજાનું અસ્વાગત, દૂર-દૂરથી આવતા લોકોને ધક્કા અને નિરાશા
ગાંધીનગર: રાજ્યના લોકોની સમસ્યાઓનો ત્વરિત ઉકેલ લાવવા માટે ગાંધીનગર સચિવાલય ખાતે યોજાતો મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ અરજદારો માટે આશીર્વાદ બનવાને બદલે આર્થિક અને માનસિક બોજ સાબિત થઈ રહ્યો છે. ડિજિટલ યુગની વાતો છતાં, હજારો અરજદારોને ગાંધીનગરના ધક્કા ખાવા મજબૂર થવું પડે છે, અને તેમાંય અડધાથી વધુ લોકોની સમસ્યાઓનો ઉકેલ મળતો નથી. 

 ગાંધીનગરમાં ધક્કા, પણ ન્યાય નહીં સ્થાનિક, તાલુકા કે જિલ્લા કક્ષાએ ન્યાય ન મળે ત્યારે અરજદારો મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ઓનલાઈન અરજી કરે છે. ઘણા કિસ્સાઓમાં તેમને રૂબરૂ સાંભળવા ગાંધીનગર બોલાવવામાં આવે છે, જ્યાં મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સમસ્યાઓ સાંભળવાનો દાવો કરવામાં આવે છે. જોકે, જૂન-2025માં આ કાર્યક્રમમાં 3349 અરજદારો હાજર રહ્યા હતા, પરંતુ માત્ર 1592 અરજીઓનો જ નિકાલ થયો. બાકીના અરજદારો ખાલી હાથે પરત ફર્યા. અરજદારોની ફરિયાદ છે કે, “જો સમસ્યા ઉકેલવાની નથી, તો ગાંધીનગર શા માટે બોલાવો?” 

 400-500 કિ.મી.ની મુસાફરી, પણ ન્યાયની નિરાશા કચ્છ સહિત રાજ્યના દૂરના વિસ્તારોમાંથી અરજદારો પોતાની સમસ્યાઓ રજૂ કરવા 400-500 કિ.મી.ની મુસાફરી કરીને આવે છે. એક અરજદારે સરેરાશ 500 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે, જેના હિસાબે જૂન-2025માં 3000થી વધુ અરજદારોનો કુલ 16 લાખ રૂપિયાનો ખર્ચ થયો, પરંતુ અડધાથી વધુ લોકોની સમસ્યાઓ અધૂરી રહી. એક તરફ ડિજિટલ યુગની વાતો થાય છે, તો બીજી તરફ અરજદારોને દૂર-દૂરથી બોલાવીને ધક્કા ખવડાવવામાં આવે છે. 

 લોક દરબારનો દેખાડો નહીં, ઉકેલ જોઈએ અરજદારોની ફરિયાદ છે કે તાલુકા-જિલ્લા કક્ષાએ સરકારી અધિકારીઓ ગરીબોની વાત સાંભળતા નથી. હવે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ આર્થિક અને માનસિક હેરાનગતિનો સામનો કરવો પડે છે. સરકારે લોક દરબારનો દેખાડો કર્યા વિના એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ, જેમાં અરજદારોનો સમય અને નાણાં બંને બચે, અને તેમને ખરેખર ન્યાય મળે.