Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Thursday, 3 July 2025

સાબરમતી નદી 10 વર્ષમાં 2 કિમી ઘટી: રેત ખનન માફિયાનો રાજ અને શાસનનું ગંભીર મૌન?*

સાબરમતી નદી 10 વર્ષમાં 2 કિમી ઘટી: રેત ખનન માફિયાનો રાજ અને શાસનનું ગંભીર મૌન?*
 સાબરમતી નદીના ધોળકા નજીક ચંડીસર ગામ પાસે છેલ્લા 10 વર્ષમાં નદીનો પ્રવાહ 2 કિલોમીટર સંકોચાયો, જેનું મુખ્ય કારણ ગેરકાયદે રેત ખનન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. કડક નિયમો હોવા છતાં, તંત્રના છૂપા આશીર્વાદથી રેત માફિયાઓએ નદીના કુદરતી મિએન્ડર (સર્પાકાર વળાંક)ને બદલી નાખ્યા. ડો. મોહમ્મદ જુનૈદ શેખ, આસિ. પ્રોફેસર, એલ.ડી. કોલેજ, માનવીય હસ્તક્ષેપને આ અકુદરતી ઘટનાનું કારણ ગણે છે. સ્થળ તપાસમાં નદીના પટ નજીક ગેરકાયદે ખનન કેમેરામાં કેદ થયું, જેને સત્તાધીશોએ આડકતરી રીતે સમર્થન આપ્યું. ભૂસ્તર વિભાગના પર્ણવી પ્રજાપતિએ જણાવ્યું કે, એક લીઝ કાર્યરત છે, પરંતુ ગેરકાયદે ખનનની ફરિયાદ પર તપાસ થશે. સિંચાઈ વિભાગના એક્ઝિ. એન્જિનિયર એચ.એચ. મિત્રાએ 10 વર્ષના પ્રવાહ અભ્યાસની જરૂરિયાત દર્શાવી, કારણ કે મિએન્ડર સામાન્ય રીતે વધવું જોઈએ, નહીં કે ઘટે.